Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Saturday, 14 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 : મૂળભૂત હકો , મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :


1. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો.

=> કાયદાઓનું પાલન કરવું.
– જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ.
– સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો.
– બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા-પિતાની ફરજ રહેશે.
– એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
– કરવેરાઓ પ્રમાણિકપણે ભરી દેવા.
– હિંસાનું આચરણ ન કરવું.
– આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવું.
– વૃક્ષો પ્રત્યે દયા રાખવી.
– જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું.


2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો.

=> રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવે છે.
– આ સિદ્ધાંતો માર્ગદર્શક છે.
– એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી.
– પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
– ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી.
– આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી.
– તેનાથી કોઈ કાનૂનની પીઠબળ મળતું નથી.
– કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી.
– તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં તે માયાના છે.
– બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે.
– ડો. બાબાસાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને ‘દેશના શાસનના તેઓ પાયાના સિદ્ધાંતો છે’ એવું જણાવ્યું હતું.


3. મૂળભૂત હકોની અગત્ય સમજાવો.

=> વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજીક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે.
– દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે.
– વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે તેને માનવ હકો કહેવામાં આવે છે.


4. વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું?

=> ભારતના બંધારણે આ હક દ્વારા સ્વતંત્રતાઓ મળી હોય તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવી જોઈએ.
– સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે.
– રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે.
– કોઈ પણ નાગરિકો આ હકનો નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં.


5. નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.

=> રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિને ઉપર્યુક્ત બાબતો લાગુ પડશે નહીં.
– થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય.
– આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી.
– પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનારહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે.
– કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકાય છે.


6. ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો.

=> (1) શોષણ સામેનો હક
(2) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
(3) સમાનતાનો હક
(4) સ્વતંત્રતાનો હક
(5) ધાર્મિક સ્વતંત્રતાનો હક
(6) બંધારણીય ઇલાજોનો હક


7. લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો.

=> લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે છે.
– લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે.
– કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલી છે.





Q-2. ટૂંક નોંધ લખો :


1. સમાનતાનો હક

=> ‘કાયદા સમક્ષ સમાનતા’ અને ‘કાયદાનું સમાન રક્ષણ’ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે.
– કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.
– એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે.
– જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો આપાયા છે.
– કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ.
– કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં.
– આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં.


2. બંધારણીય ઈલાજોનો હક

=> મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી.
– સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે.
– આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચના કે આજ્ઞાપત્રો, આદેશો વિશાળ સત્તા તેને બંધારણમાં બતાવામાં આવી છે.
– ડો. બાબાસાહેબ આંબેડકરે ‘આ હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
– આમ, હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના બદલે અદાલતોમાં જવાનો હક અને હક્કોનું રક્ષણ મેળવવાનો હક છે.
– કોઈપણ નાગરિકોના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદા રાજ્યો ઘડી શકતું નથી.


3. સ્વતંત્રતાનો હક

=>  બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે જે નીચે મુજબ છે.
– વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.
– શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા.
– મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા.
– ભારતના કોઇ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા.
– કોઈ પણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા.
– વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા.


4. શોષણ સામેનો હક

=> કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઇપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ મજૂરી પ્રતિબંધિત છે.
– વેપાર, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે.
– આ જોગવાઇઓનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે.
– 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટલ અને કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં.
– બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો છે.


5. આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો

=> સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું.
– પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે.
– સ્ત્રી-પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા, જોખમી કર્યો કરવા ન પડે.
– ઔદ્યોગિક એકમોમાં સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ રહેશે.
– સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે.
– કામદાર રાજ્ય વીમાધારો, પ્રસુતિ રજાનો ધારો, ગ્રેરયુઈટીધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે.
– ગાય, ભેંસ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા કતલ અટકાવવા પ્રયાસ કરશે.


6. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો

=> રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપનાના કરવા માટે જરૂરી પગલાં ભરશે.
– તેઓ સ્વરાજ્યના પ્રથમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે.
– રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે તેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે.
– આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે.




Q-3. નીચેના વિધાનો કારણો આપી સમજાવો :


1. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે.

=> મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઇ શકાય છે.
– ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે.
– સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે.


2. બંધારણીય ઈલાજોનો હક ‘બંધારણના આત્મા’ સમાન છે.

=> કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે.
– ડો. બાબાસાહેબ આંબેડકરે ‘આ હકને બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.


3. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ નહિ.

=> આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિતનું ધ્યાનમાં રાખવા પડે છે.
– દેશનું એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવું.
– આમાં, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં.


4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગ માટેની પૂર્વશરત છે.

=> આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી.
– આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે.
– આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વશરત છે.


5. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલ્કે એકબીજાના પૂરક છે.

=> રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાને વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે કારણ કે.
– જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે.
– મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત છે.
– રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.


6. શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.

=> 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને બાળમજુરી નાબુદી કાયદો ઘડવામાં આવ્યો છે.
– આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે.
– બધા પ્રકારના શોષણને ગુનો જાહેર કરવામાં આવ્યો છે.


7. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે.

=> રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ.
– તેમ જ બીજા લોકોને પણ તે રસ્તા પર ચાલવાનો હક છે.
– હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી આમ ફરજ વિનાનો કોઈ હક નથી.
– એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિનો ફરજ બની રહે છે.
– હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે.
– બંને એક સિક્કાની બે બાજુ છે.


8. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.

=>  બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
– 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે.
– આથી, બાળમજુરી સજાપાત્ર ગુનો ગણાય છે.


9. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.

=> આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્યો બંધાયેલા નથી.
– રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી.
– તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઇ શકતો નથી.


10. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.

=> તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર કહે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
– દેશમાં આર્થિક, રાજકીય ન્યાય અને સામાજિક પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપવી છે.


11. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.

=> દેશની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવી, ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
– ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે.
– આમ, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધુરી છે.


12. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે.

=> આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય.
– આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે.
– તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ.
– આમ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે.




Q-4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો :


1. ડો. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે?

(A) સ્વતંત્રતાનો હક
(B) સમાનતાનો હક
(C) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
(D) બંધારણીય ઈલાજોનો હક

Correct Answer: (D) બંધારણીય ઈલાજોનો હક

2. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયા રૂપ સિદ્ધાંતો છે?

(A) નરેન્દ્ર મોદી
(B) જવાહરલાલ નહેરુ
(C) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(D) ડો. બાબાસાહેબ આંબેડકર

Correct Answer: (D) ડો. બાબાસાહેબ આંબેડકર


3. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?

(A) 24 કલાક
(B) 6 માસ
(C) 3 માસ
(D) આજીવન

Correct Answer: (C) 3 માસ

4. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?

(A) 6 થી 14 વર્ષના
(B) 3 વર્ષ સુધીના
(C) 14 વર્ષથી ઉપરનાં
(D) 18 વર્ષના

Correct Answer: (A) 6 થી 14 વર્ષના

5. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?

(A) 14 વર્ષથી નીચેના
(B) 18 વર્ષથી નીચેના
(C) 6 થી 14 વર્ષના
(D) 28 વર્ષથી ઉપરનાં

Correct Answer: (B) 18 વર્ષથી નીચેના

6. ક્યું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય?

(A) અસ્પૃશ્યતા
(B) બાળમજૂરી
(C) દહેજપ્રથા
(D) વહેમ અંધશ્રદ્ધા

Correct Answer: (A) અસ્પૃશ્યતા




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF

HOW TO DOWNLOAD PDF



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 





---Thanks for visit---

No comments:

Post a Comment