Q-1. નીચે આપેલા પ્રશ્ર્નોનાં ટૂંકમાં ઉત્તર લખો :
1. હિમાલય પર્વતશ્રેણીઓમાં ક્યા ક્યા ઘાટ આવેલા છે?
=> હિમાલયની પર્વતશ્રેણીમાં નાથુલા, જેલાપલા, શિપ્કીલા વગેરે ઘાટો આવેલા છે.
2. રેગોલીથ એટલે શું?
=> રેગોલિથ એટલે જમીનએ ખડકોના ખવાણથી ફલિત પ્રદેશ છે ખડકોની સપાટીવાળા ભાગોનું વરસાદ, તાપમાન, હિમ, હવા, વનસ્પતિ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે આ ભૂમિ આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ ઓળખાય છે.
3. ખડકોના મુખ્ય કેટલા અને ક્યા ક્યા પ્રકારો પડે છે?
(1) આગ્નેય ખડકો.
(2) પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો.
(3) રૂપાંતરિત ખડકો.
4. જમીન-નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો.
=> જમીનમાં ખડકોની સપાટીવાળા ભાગોમાં વરસાદ, હિમ, વનસ્પતિ, હવા, પાણી અને જીવજંતુઓના પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે. આ ઉપરાંત ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતાં તેમાંથી જમીન બને છે જમીન નિર્માણની પ્રક્રિયા આ ઘણા સમયની છે.
--------------------------------------
Q-2. નીચેના શબ્દ-સંકલ્પનાઓ સમજાવો :
1. નિક્ષેપણ :
=> પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદી, હિમનદીઓ, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાંપ માટીનો નિક્ષેપણ કહેવાય છે.
2. બાંગર :
=> પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે જ્યારે નદીઓના ઉપરવાસમા આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે.
3. ખનીજ :
=> સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપે પદાર્થો કે ચોક્કસ રાસાયણિક ધરાવતા પદાર્થો ‘ખનીજ’ કહેવાય.
4. ખડક :
=> પૃથ્વીના પોપડામાં ભૂ-કવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોને ભૂસ્તરશાસ્ત્રીની ભાષામાં ખડક કહેવાય.
5. જમીન :
=> તાપમાનમાં મોટા ફેરફારો, વરસાદ હિમ, હવા, જીવ-જંતુઓની પરિબળોની અસરથી ખડકોનું નિર્માણ થાય છે અને તેનાથી ભૂમિ આવરણ રચાય છે તેને જમીન કહેવાય.
---------------------------------------
Q-3. નીચે આપેલા પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર આપો :
1. ભારતના દ્વીપસમૂહો
– અન્ય દ્વીપસમુહમાં બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન -નિકોબારનો સમાવેશ થાય છે. અહી ટાપુઓની સંખ્યા ઘણી છે. ભારતના કિનારાથી દૂર આવેલા છે ત્યાં પર્વતની હારમાળા છે. આ ટાપુ 350 કિ.મી. ના વિસ્તારમાં પથરાયેલા છે. નાના-મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જુથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે.
– આમ, અંદમાન-નિકોબાર ટાપુઓ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટીએ ઘણા મહત્વના છે.
2. ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો.
(1) કાપની જમીન
(2) કાળી જમીન
(3) રાતી જમીન
(4) પડખાઉ જમીન
(5) પર્વતીય જમીન
(6) રણ પ્રકારની જમીન
તેના બે પ્રકાર પડે છે. 1. ખદર 2. બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે તે પ્રમાણમાં રેતાળ હોય છે જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી જૂનો કાપ ધરાવતી જમીન બાંગરા તરીકે જાણીતી છે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે રાજ્યમાં આ પ્રકારની જમીન આવેલી છે.
આ જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરેમાં જોવા મળે છે આ કાળી જમીન દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તેમાં ભેજ સંગ્રહ ક્ષમતા વધારે હોય છે કપાસના પાક માટે અનુકૂળ છે તેથી તેને કપાસની કાળી જમીન કહે છે.
આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે લોહ અને સેન્દ્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે ગોવા, તમિલનાડુ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે.
વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરલ, ઓડિશામાં જોવા મળે છે.
જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે શિવાલિક પર્વતશ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે મેઘાલય, અરુણાચલ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં આવી જમીન જોવા મળે છે.
આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જોવા મળે છે ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે.
3. ખનીજોનું વર્ગીકરણ કરો.
અ) કિંમતી ધાતુમય ખનીજો : સોનુ, ચાંદી, પ્લેટિનમ વગેરે.
બ) હલકી ધાતુમય ખનીજો : મેગ્નેશિયમ, બોકસાઈટ, ટીટાનિયમ વગેરે.
ક) સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો : લોખંડ, તાંબુ, જસત, કલય, નિકલ વગેરે.
ડ) મિશ્રધાતુરૂપે વપરાતા ખનીજો : કોમિયમ, મેગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે.

No comments:
Post a Comment