Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર લખો :
1. સંસાધન એટલે શું? અને તેના ઉપયોગો વર્ણવો.
- સંસાધન - ખોરાક તરીકે
- સંસાધન-કાચામાલનો સ્રોત
- સંસાધનો - શક્તિસંસાધનો તરીકે
2. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.
- ભૂમિ સંરક્ષણના ઉપાયો
-- જંગલોના આચ્છાદનને કારણે તેનાં મૂળ જમીનકણોને જકડી રાખે છે.
-- નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું.
-- રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તે રણને આગળ વધતું અટકાવશે.
-- નદીઓનાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવાં જોઈએ.
-- અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ.
---------------------------------------------------------
Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :
1. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.
– તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે.
– તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલાં હોય છે.
– જમીન ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે.
– જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે.
– આમ, જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે.
– જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે.
2. કાંપની જમીન વિશે નોંધ લખો.
– ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં આવેલી છે.
- લક્ષણો :
– તેમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે; જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.
– તેમાં જુદાં જુદાં કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.
– તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.
3. કાળી જમીન વિશે નોંધ લખો.
– આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે.
– કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે.
– આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે.
– આ જમીનમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે.
– તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.
– તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમ ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે.
– તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે.
– તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી 'કપાસની જમીન' તરીકે ઓળખાય છે. કાળી જમીન 'રેગુર' નામે પણ જાણીતી છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :
1. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.
– જમીન ધોવાણ થતું અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :-
– પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું.
– જમીન પર થતી ચારણ પ્રવૃતિઓ અટકાવવી.
– ઢોળાવવાળી જમીન પર સ્ટેપ્સ પધ્ધતિથી વાવેતર કરવું.
– જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા.
– પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી.
– ખેતરોનું ધોવાણ અટકાવવા ખેતર ફરતે પાળા બાંધવા.
– વૃક્ષારોપણ કરવું.
2. પર્વતીય જમીનો કોને કહેવાય?
– આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
– જંગલોવાળા ભાગમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે.
3. રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો.
– ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે.
– તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
– આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
– તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની માત્રા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે.
– અહીં જે વિસ્તારોમાં સિંચાઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે.
Q-4. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :
1. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન ……....
(A) સર્વ સુલભ સંસાધન
(B) સામાન્ય સુલભ સંશાધન
(C) વિરલ સંશાધન
(D) એકલ સંસાધન
Answer: (D) એકલ સંસાધન
2. જમીનનું નિર્માણ મૂળ ખડકોના …….. મળવા વાળા પદાર્થોની થાય છે.
(A) ખવાણ અને ઘસારાથી
(B) સ્થળાંતર અને સ્થગિતતાથી
(C) અનુક્રમ અને વિક્રમથી
(D) ઉર્ધ્વ અને શીર્ષથી
Answer: (A ) ખવાણ અને ઘસારાથી
3. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?
(A) કાંપની જમીન
(B) લેટેરાઈટ જમીન
(C) કાળી જમીન
(D) રાતી અથવા લાલ જમીન
Answer: (B) લેટેરાઈટ જમીન
4. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનનો મુખ્ય …….. પ્રકારોમાં વહેંચવામાં આવી છે.
(A) સાત
(B) સોળ
(C) પાંચ
(D) આઠ
Answer: (D) આઠ
---------------------------------------------------

No comments:
Post a Comment