Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Tuesday, 16 June 2026

Std 10 Social Science Ch.5 Bharat no Vigyan Ane Technology no Varso Svadhyay Solution || ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો ||

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર સવિસ્તર આપો :


1. પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.

=>  આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે.
– 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પુરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખુબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા.
– પ્રાચીન ભારતની સિંધુખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે.
– ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના ગણાય છે.
– કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.


2. પ્રાચીન ભારતે રાસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

=>   પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચે મુજબ છે.
– નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.
– તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના પુસ્તકો લખ્યા છે.
– બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7½ ફૂટ ઊંચી 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.
– રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
– ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો.
– આજદિન સુધી ટાઢ-તડકો અને વરસાદ જીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે.
– પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.
– નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.


3. વૈદિકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.

=>   મહાન વૈદિકશાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના ગ્રંથમાં શલ્યચિકિત્સા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને ભાગ કરી શકતા હતા.
– તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક-કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા.
– ભારતના વૈદિકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધીને રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા.
– ભારતીય વૈદિક્શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વાગભટ્ટે પોતાના સંશોધનથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી.
– વૈદિકશાસ્ત્રમાં મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું.
– વૈદિક્શાસ્ત્રના મહાન લેખક વાગભટ્ટે ‘અષ્ટાંગહૃદય’ જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
– પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ વનસ્પતિ જ પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે.
– તેઓ રોગોના કારણો અને ચિહ્નનોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.
– તેઓ ભાંગેલા અને ઊતરી ગયેલા હાડકા બેસાડી દેતા તેમજ શરીરમાં ઘુસી ગયેલા બહારના પદાર્થોની કુશળતાપૂર્વક બહાર ખેચી કાઢતા.
– તેઓ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસુતિ વેળા જોખમી ઓપરેશનો પણ કરતા તેઓ અચકાતા નહીં.
– તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.


4. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.

=>   આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
– ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે.
– ધાતુવિદ્યા, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શાલયચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે.
– આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે.


-------------------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર મુદ્દાસર લખો :


1. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.

=>   આર્યભટ્ટને ‘ગણિતના પિતા’ કહેવામાં આવે છે.
– આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે.
– ‘ગૃત્સમદ’ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
– ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી.
– ગણિતશાસ્ત્રી આપસ્તંભે શાલ્વસૂત્રો માં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા.
– પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી.
– ભારતે વિશ્વને શૂન્ય ની સંજ્ઞાની, દશાંશ–પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
– આર્યભટ્ટ ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા.
– પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મુકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા.
– ઈ.સ. 1150 માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. તેમણે + અને – ની શોધ કરી હતી.
– ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
– મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ‘આર્યભટ્ટીયમ’ ગ્રંથમાં πની કિંમત 22/7 (3.14) જેટલી થયા છે. એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે.


2. ટૂંકનોંધ લખો : પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર.

=>   પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન નીચે મુજબ છે.
– મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના ‘પંચસિદ્ધાંતિક’ નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી.
– ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
– ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે.
– બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે ‘બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા.
– ગ્રહો પરથી રાશિ-ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
– ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું છે.
– બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
– ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.


3. જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો.

=>   જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે.
– તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી આપી છે.
– વરાહમિહિરે તેમના ‘બૃહદ્દસંહિતા’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે.
– વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા, જેમણે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગોમાં વહેચ્યું હતું.
– આમ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે.


4. વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે?

=>   બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા.
– દેવોના પ્રથમ સ્થપિત માનતા વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગોમાં વહેંચ્યું હતું.
– વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગર, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતા સિદ્વાંતોનો સમાવેશ થાય છે.
– આ ઉપરાંત, વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેનાં સ્થાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.


--------------------------------------------------


Q-3. નીચેના પ્રશ્ર્નોના ઉત્તર ટૂંકમાં લખો :


1. વિજ્ઞાન અને ટેક્નોલોજી એટલે શું?

=>   વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગીતા.


2. રસાયણવિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.

=>   તેમણે વનસ્પતિ-ઔષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
– પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે.
– આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના ગ્રંથો લખ્યા હતા.


3. ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધો વિશે નોંધ લખો.

=> ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો નીચે મુજબ છે :-
--  જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ.
– ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ.
– શૂન્યની શોધ.
– πની કિંમત 22/7 (3.14) જેટલી થયા છે તેની શોધ.
– ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક છે તેની શોધ.


4. જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેચાયેલું છે?

=>   જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વહેચાયેલું છે.


5. વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો.

=>   બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા વગેરે.


-----------------------------------------------


Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :


1. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે?

(A) બુદ્ધનું

(B) નટરાજનું

(C) બોધિગયાનું

(D) ધનુર્ધારી રામનું


Answer: (B) નટરાજનું


2. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(A) નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.

(B) પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.

(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.

(D) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.


Answer: (C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.


3. મહર્ષિ ચરક : ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત : ……….

(A) સુશ્રુતસંહિતા

(B) ચરકશાસ્ત્ર

(C) વાગ્ભટ્ટસંહિતા

(D) સુશ્રુતશાસ્ત્ર


Answer: (A) સુશ્રુતસંહિતા


4. કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે? 
શ્રેયા : ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથ લખ્યા. 
યશ : દશાંશપદ્ધતિના શોધક બોધાયન હતા. 
માનસી : આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. 
હાર્દ : શૂન્ય (0)ની શોધ ભારતે કરી હતી.

(A) યશ

(B) હાર્દ

(C) શ્રેયા

(D) શ્રેયા, માનસી,હાર્દ


Answer: (D) શ્રેયા, માનસી,હાર્દ


5. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ……… છે.

(A) ચિકિત્સાસંગ્રહ

(B) પ્રજનનશાસ્ત્ર

(C) કામસૂત્ર

(D) યંત્ર સર્વસ્વ


Answer: (B) પ્રજનનશાસ્ત્ર


6. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલિ બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી?

(A) ભ્રહ્મગુપ્તે

(B) વાત્સ્યાયને

(C) ગૃત્સમદે

(D) મહામુનિ પતંજલિ


 Answer: (A) ભ્રહ્મગુપ્તે


7. મંદિર, મહેલ, અશ્ર્વશાળા, કિલ્લા ઈત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

(A) ગણિતશાસ્ત્ર

(B) રસાયણશાસ્ત્ર

(C) વૈદકશાસ્ત્ર

(D) વાસ્તુશાસ્ત્ર


Answer: (D) વાસ્તુશાસ્ત્ર


------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

----- Send 'Hi" via whatsapp for PDF
( ₹10 Charge will be applicable for PDF )




👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો







-------Thanks for visit------


No comments:

Post a Comment