Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Tuesday, 24 March 2026

ધોરણ 9 વિજ્ઞાન પાઠ : 5 સજીવનો પાયાનો એકમ સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. માગ્યા મુજબ જવાબ આપો :


1. પ્રાણીકોષની સાથે વનસ્પતિકોષની તુલના કરો અને તેમના તફાવત આપો.

=>
વનસ્પતિ કોષ: 
  1. હરિતકણ ધરાવે છે
  2. તારાકેન્દ્ર ધરાવતા નથી
  3. કોષ દીવાલ ધરાવે છે
  4. રસધાની મોટા કદની હોય છે

પ્રાણીકોષ :
  1. હરિતકણ ધરાવતા નથી
  2. તારાકેન્દ્ર ધરાવે છે
  3. કોષ દીવાલ ધરાવતા નથી
  4. રસધાની નાના કદની હોય છે


2. પ્રોકેરિયોટિક કોષ કેવી રીતે યુકેરિયોટિક કોષથી ભિન્ન છે ?

=> પ્રોકેરિયોટિક કોષ :
  • આ કોષ કદમાં નાના (1 - 10 MM) ધરાવતા
  • કોષકેન્દ્રપટલ ગેરજહાજર હોય છે.
  • કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય અંગીકાઓ ગેરહાજર હોય છે.

યુકેરિયોટિક કોષ :

  • આ કોષ કદમાં મોટા (5 - 100 MM) હોય છે.
  • કોષકેન્દ્રપટલની હાજરી હોય છે.
  • કોષકેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગીકાઓની હાજરી દર્શાવે છે.


3. જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે ?

=> જો કોષરસપટલ ઈજાગ્રસ્થ બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે


4. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય ?

=> ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષમાં બનતી નીપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય છે

-- આ બધા દ્રવ્યનો જથ્થો વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય


5. કઈ અંગિકાને કોષનું ઊર્જાઘર/શક્તિઘર તરીકે ઓળખાવાય છે? શા માટે?

  • કણાભસૂત્ર કોષના ઉર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાય છે
  • કોષને જીવંત રાખવા માટે જરૂરી ઉર્જા ATP ના સ્વરૂપમાં નિર્માણ કરે છે


6. કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે ?

=> કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ અંતઃકોષરસજાળમાં થાય છે


7. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે ?

=> અમીબા તેનો ખોરાક અર્તવહન દ્વારા મેળવે છે


8. આસૃતિ એટલે શું ?

=> બે જુદી - જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મુકતા પાણીના અણુ વધુ સાંદ્રતા ધરાતવા દ્રાવણ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ કરે છે આ ઘટનાને આસૃતિ કહે છે


9. નીચેનો આસૃતિનો પ્રયોગ કરો :

(i) કપ B અને C માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે. કારણ કે બટાટા ના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે બટાટાની કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે.
(ii) બટાટાનો કપ A સરખામણી માટે જરૂરી છે.(iii) કપ A અને કપ D માં ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ A માં સાંદ્રતા તફાવત સર્જવા માટે કોઈ દ્રાવણ હોતું નથી.
  • આસૃતિ માટે બે ભિન્ન - ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે જયારે કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષ મૃત છે.
  • તેથી તેમાં આસૃતિની ક્રિયા દર્શાવાતી નથી.


10. શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષવિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષવિભાજન સંકળાયેલું છે ?

=> શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે સમભાજન (Mitosis) પ્રકારનું કોષવિભાજન આવશ્યક છે, જે સમાન કોષોનું નિર્માણ કરે છે. જ્યારે જન્યુઓ (શુક્રકોષ/અંડકોષ)ના નિર્માણમાં અર્ધીકરણ (Meiosis) પ્રકારનું કોષવિભાજન સંકળાયેલું છે, જે રંગસૂત્રોની સંખ્યા અડધી કરે છે.


-----------------------------------------------------------------


👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો

Download PDF





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 






----Thanks for visit----

No comments:

Post a Comment