Q-1. નીચેના પ્રશ્ર્નોના સવિસ્તર ઉત્તર આપો :
1. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો.
પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ :
– શાસક અધિકારીઓનો ગઢ ઉંચાઈ ઉપર બાંધવામાં આવેલો હોય છે.
– અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દીવાલથી સુરક્ષિત બનાવેલું હોય છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળાં મકાનો મળી આવ્યા છે.
– સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલી છે.
2. મોંહે-જો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.
આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. અહીં મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા. નાના-મોટા રસ્તાઓ કાટખૂણે મળતા અને એકથી વધુ વાહનો પસાર થાય એટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે. નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તે ક્યાંય વળાંક નહિ લેતાં સીધા જ જતા હતા. આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય છે. બે મુખ્ય રાજમાર્ગો હતા. એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા.
આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમ જ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે.
3. ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો.
1. ઢાંક ગુફાઓ : આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢાંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે.
(3) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે મજલાવાળી હશે
Q-2. નીચેના પ્રશ્ર્નોના મુદ્દાસર ઉત્તર લખો :
1. ધોળાવીરા વિશે માહિતી આપો.
– ત્યારપછી ઈ. સ. 1990 માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું.
– નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે છે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્દભુત છે.
– નગરની કિલ્લેબંધી ખુબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે.
– ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે.
– ધોળાવીરાનો મહેલ, કિલ્લો અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
2. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો.
– લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.
– ગોદામોમાં-વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી. વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાની કરતા.
– આ ધક્કામાં ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા–ઉતારવામાં આવતો.
– લોથલના મકાનોમાં ઉપરાઉપરી ત્રણ થર મળ્યા છે. આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે.
– આમ, લોથલમાંથી મળી આવેલ ધક્કો-ગોદી, વખારો-ગોદામો, દુકાનો, આયાત-નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું બંદર અને વેપારીમથક હતું.
3. સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો.
– પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય.
– આ સ્તંભો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલ છે.
– સ્તંભનો મધ્યભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય.
– મૌર્યસામ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ‘ધર્માજ્ઞાઓ’ કોતરેલા, શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા.
– અશોકના શિલાસ્તંભો પૈકી સરનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
– આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે.
– 24 આરાવાળા આ ધર્મચકને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ચાર સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવે છે.
– સમ્રાટ અશોકના સ્તંભલેખો અંબાલા, મેરઠ, અલાહાબાદ, સાંચી, કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે.
4. મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો.
– આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સુર્યપ્રતિમાના મુગટની મધ્યમા રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠે છે.
– મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે.
– આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલુ છે.
– આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે.
– સુર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર-સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના જવાબ ટૂંકમાં આપો :
1. શિલ્પ એટલે શું ?
=> કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી-હથોડી વડે પથ્થર , લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને ‘શિલ્પ’ કહેવામાં આવે છે.
2. સ્થાપત્ય એટલે શું ?
=> મકાનો , નગરો , કુવાઓ , કિલ્લાઓ , મિનારા , મંદિરો , મકબરાઓ , સ્મારકો , સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે.
3. મોંહે-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો.
=> મોંહે-જો-દડો નો અર્થ ‘મરેલાનો ટેકરો’ એવો થાય છે.
-- નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા .
-- અહીંના રસ્તાઓ મોટા ભાગે 9.75 મીટર જેટલા પહોળા હતા.
4. સ્તૂપની સમજૂતી આપો.
=> ‘સ્તૂપ’ એટલે ભગવાન બુધ્ધના વાળ , દાંત , અસ્થિ , રાખ વગેરે શરીરના અવશેષો ને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધગોળાકાર ઈમારત.
------------------------------------------------------------
Q-4. નીચેના દરેક પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે?
(A) વાસ્તુ
(B) કોતરણી
(C) મંદિર
(D) ખંડેર
Answer: (A) વાસ્તુ
2. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું?
(A) ખીલો
(B) થાંભલો
(C) ધક્કો
(D) જાળી
Answer: (C) ધક્કો
3. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?
(A) હિન્દી
(B) બ્રાહ્મી
(C) ઉર્દુ
(D) ઉડીયા
Answer: (B) બ્રાહ્મી
4. ગુજરાતના …….. ખાતે સૂર્યમંદિર આવેલું છે.
(A) મોઢેરા
(B) વડનગર
(C) ખેરાલુ
(D) વિજાપુર
Answer: (A) મોઢેરા
5. અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે?
(A) જામા મસ્જિદ
(B) જુમ્મા મસ્જિદ
(C) સિપ્રીની મસ્જિદ
(D) મસ્જિદે નગિના
Answer: (A) જામા મસ્જિદ
-----------------------------------------------------

No comments:
Post a Comment