Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Thursday, 19 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 20 : આપત્તિ - વ્યવસ્થાપન સ્વાધ્યાયનું સોલ્યુશન

 


Q-1. નીચેના પ્રશ્ર્નોના જવાબ માગ્યા મુજબ આપો :


1. પૂર સમયે શું કરવું જોઈએ?

=> પૂરનો સામાન્ય રીતે આપણે એવો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારનું સતત કેટલાક દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું.

પૂરના સમયે શું કરવું જોઈએ :
– સલામત સ્થળે પોતાની કિંમતી વસ્તુઓ લઈ આશ્રય મેળવવો.
– પાણી, સુકો નાસ્તો, મીણબત્તી, ફાનસ વગેરે જરૂરી સાધનો સાથે રાખવા.
– બાળકોને ભૂખ્યા રાખવા નહીં.
– રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા.
– જીવ-જંતુઓથી સાવધાન રહેવું.


2. ત્સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.

=> સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને ત્સુનામી કહે છે ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા એવો થાય છે.
– મોટેભાગે ત્સુનામીની ઉત્પતિ સમુદ્રતળના ભૂકંપ દ્વારા જ થાય છે.
– જેનાથી સાગરના મોજા તેના ઉદ્દભવસ્થાનેથી વલયાકારે તીવ્ર ગતિથી પ્રસરે છે.
– તેની ઝડપ કિનારા પાસે ઓછી થાય છે અને ઊંચાઈ વધી જાય છે.
– 26 ડિસેમ્બર 2004 ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત એશિયાના દેશોમાં લગભગ 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો.


3. ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?

=> બચાવ કામગીરી સમયે તેમા ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ.
– ગેસ ગળતરનું ક્ષેત્ર સતાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.
– બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહીં.
4. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો.
– વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ના લાગે તે અંગે સાવચેતી રાખવાનો છે.
– પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો અને પરિણામો તથા બચવાથી વાકેફ રાખવા જોઈએ.
– તેના માટે રોગપ્રતિકારક રસી લેવી.
– દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડની સુવિધા કરવી.
– વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સુચનાઓ / માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ.


----------------------------------------------


Q-2. નીચેના પ્રશ્ર્નોના સવિસ્તર જવાબ આપો :


1. આપત્તિની માનવજીવન પર અસરો સવિસ્તર વર્ણવો.

=> આપત્તિઓની અસર વધતે ઘટતે અંશે લોકો પર પડે છે પરંતુ તેની સૌથી માઠી અસર ગરીબ લોકો પર વધારે પડે છે સામાન્ય રીતે માનવજીવન પરની આપત્તિઓને ચાર પ્રકારોમાં વહેંચી શકાય છે.


આપત્તિની ભૌતિક અસરો :
– સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકશાન થાય છે કે નાશ પામે છે.
– રસ્તાઓ, પુલો, વીજળી, ગેસ જેવી આંતરમાળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં સમય લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે.
– પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. વળી, ખેતિ ની ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ થાય છે, જેથી લાંબા ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે.
– નદીમાં અચાનક ઘોડાપૂર આવે છે ત્યારે કિનારા પરની માલમિલકતને અતિ નુકશાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.

આપત્તિની જીવન પર થતી અસરો :
– નિર્દેષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે.
– તંદુરસ્ત માણસોનું સ્વાસ્થ્ય બગડે છે.
– આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબાજનો ભારે આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વચ્છતા ગુમાવે છે. માનસિક યાતનામાંથી બહાર આવવામાં તેઓને સમય લાગે છે.
– અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.
– રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ તથા હાડમારીઓ વેઠવી પડે છે.

આપત્તીની આર્થિક અસરો :
– આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવાં માટે નાણાની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામો બંધ કરવાં પડે છે.
– નાણાંની અછત ઊભી થતાં ચાલુ યોજનાઓ વિલંબમાં મૂકાય છે.
– અઉદ્યોગિક એકમો ફરીથી ચાલુ કરવામાં આબે ત્યાં સુધી કામદરોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
– આપત્તિગ્રસ્થ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે.

આપત્તિની સામાજિક અસરો :
– આપત્તિગ્રસ્ત વિસ્તારનાભયભીત થયેલા લોકો સ્થળાંતર કરે છે. તેથી એ વિસ્તારના સામાજિક સબંધોના તાણાવાણા કમજોર બને છે.
– ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકોમાં તહેવારનો આનદ, ઉમંગ અને ઉત્સાહ પ્રહટ થતાં સમય લાગે છે.
– સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.


2. આપત્તિ પછીનું પુનઃસ્થાપન – નોંધ કરો.

=> આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનાનો ક્રમ આવે છે આપત્તિઓના સ્વરૂપ મુજબ પુન:સ્થાપનાની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે.
– ભૂકંપ કે પુર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે.
– દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીઓ ઉભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઉભી કરવી.
– વિષાણુજન્ય રોગચાળા બાદ જનજાગૃતિના કાર્યક્રમો યોજવા.
– માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે.
– જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુન:સ્થાપન ખૂબ અઘરું છે.
– જે લોકો વિનાશ નજરે જોયો છે તેઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા કરવી જોઈએ.
– નિરાધાર લોકો માટે તાલીમ-રોજગારીની ગોઠવણ જરૂરી છે.
– આમ, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે.


3. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ? – સવિસ્તાર નોંધ લખો.

=> ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નીચે દર્શાવેલ ઉપાયો કરવા જોઈએ :
– મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા અને તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સાંકળવાં.
– જાહેર સડકો પર થતાં દબાણો નીબૂદ કરવાં.
– ધીમી ગતિએ ચાલતાં વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોને ભીડના સમય દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો.
– રાહદારીઓ અને સાઈકલ-સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા.
– નાગરિકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેરખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી આપવી.
– એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતી વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું.
– સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક-અવર્સને બદલે હળવા વાહનવ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી.
– ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેન્માં જ રાખવું.
– ઝડપી ગતિમાર્ગ(એક્સપ્રેસ વે), ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગરોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું.
– કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો.
– નશો કરે વાહન હાંકનાર, લાઈસન્સ વિનાના વાહન ચાલાવવું, ખૂબ ગતિથી વાહન ચલાવવુંં તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે બાબતો માટે કડક કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવી.



-------------------------------------------


Q-3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો :


1. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?

(A) ભૂકંપ

(B) ચક્રવાત

(C) પૂર

(D) હુલ્લડ


Correct Answer: (D) હુલ્લડ


2. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?

(A) નદી

(B) મહાસાગર

(C) પર્વત

(D) ટાપુ


Correct Answer: (A) નદી


3. પૂર ઓસર્યા બાદ પીવા કેવું પાણી વાપરશો?

(A) બે વાર ગાળેલું

(B) વહેતા પ્રવાહનું

(C) ચોખ્ખું દેખાતું

(D) ઉકાળેલું


Correct Answer: (D) ઉકાળેલું


4. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં…….

(A) ટાયફૂન

(B) હરિકેન

(C) વિલિ-વિલી

(D) ટોર્નેડો


Correct Answer: (D) ટોર્નેડો


5. ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……

(A) ભરતી મોજાં

(B) ભમ્મરિયા મોજાં

(C) વિનાશક મોજાં

(D) ભૂકંપીય મોજાં


Correct Answer: (C) વિનાશક મોજાં


6. ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલા વાયુ….....

(A) ઓઝોન

(B) મીક

(C) સલ્ફર ડાયોક્સાઈડ

(D) મિથેન


Correct Answer: (B) મીક



----------------------------------------------



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 

Download PDF





👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 





-----Thnks for visit-----

No comments:

Post a Comment