Solutions

You can find every subjects svadhyay solutions and other useful solutions.

Breaking

Wednesday, 11 March 2026

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 : પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ સ્વાધ્યાયનું સોલ્યુશન

 

Q-1. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ મુદ્દાસર લખો :


1. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો.

👉જવાબ :-

શ્ચિમ યુરોપમાં સ્થાપેલી સંસ્થા :

– એશિયા-આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા.

– તેમની આ સામ્રાજ્યવાદી લાલસા એ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા.
– નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા.
– પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીની સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું.
– જેને કારણે છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો.
– એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા.
– જોકે જ્યારે એશિયા, આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબુત બની રહી હતી.
– ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઇ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા-આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા.

એશિયામાં સ્થાપેલી સંસ્થા :
– ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવવા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું.
– ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા.
– જે ઇતિહાસમાં ‘અફીણ વિગ્રહો’ તરીકે જાણીતા થયા ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાંસ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા.
– પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા.

આફ્રિકામાં સ્થાપેલી સંસ્થા :
– પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું.
– ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સ ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા.
– ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર જણાતાં યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી.
– બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી.
– ઈટાલીએ રાતા સમુદ્ર ની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા.
– એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા-આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા.
– ત્યારે બીજી બાજુ જર્મને અને ઈટાલીમાં એકીકરણ થયું હતું તેથી જર્મનીએ ઔદ્યોગીકરણ, સંસ્થાનીકરણ હરીફાઈમાં ઝંપલાવ્યું હતું.
– આમ, આ ઝડપી બદલાતા જતા પ્રવાહો એ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું.


2. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો.

👉જવાબ :-
– વિશ્વ યુદ્ધ કોઈ એકાદ-બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું.
– તેની પાછળ અનેક પ્રકારનાં કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો.
– જર્મનીએ સેડાનની લડાઇમાં ફ્રાંસને પરાજય આપ્યો.
– તેથી ફ્રાન્સને ફ્રેન્ડફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના બે પ્રદેશે આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા.

(1) લશ્કરવાદ :
– યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઇ થઇ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું.
– ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી.
– જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી.

(2) આર્થિક પરિબળ :
– 19 મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જણાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું.
– ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી.
– 19 મી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી.
– પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી.

(3) જૂથબંધી-ગુપ્ત સંધિઓ :
– પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો.
– પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ.
– બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતુ આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા.
થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું હતું.

(4) ઉગ્રરાષ્ટ્રવાદની ભાવના :
– બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું.
– યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા.
– જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.
– તે મહત્ત્વાકાંક્ષી અને ‘વિશ્વ પ્રભુત્વ’ ની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી.

(5) વર્તમાનપત્રોનો ફાળો :
– યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રો પરસ્પર આકરા અને અતિશયોક્તિભર્યા અને જૂઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટ ની લાગણી એટલી હદે ભટકાવી કે સત્તાસ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે.

(6) યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન :
– યુરોપમાં હવે “યુદ્ધ એ જ કલ્યાણ” નીતિએ જોર પકડ્યું. ટિટસ્કે જેવા જર્મન લેખકઓ એ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે, “શક્તિમાનને જ જીવવાનો હક છે” તથા “યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે” નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને “પવિત્ર કાર્ય” ગણાવ્યું હતું.
– ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને ‘બ્લેક હેન્ડ’ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી.
– ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો.


3. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો.

👉જવાબ :-
પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ છે.

(1) જાનમાલની હાનિ :
– લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અંદાજે એક કરોડ મૃત્યુ પામ્યા. 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા.
– યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો.

(2) વર્સેલ્સની સંધિ :
– પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્રરાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો.
– ત્યારબાદ મિત્રરાષ્ટ્રએ રાજધાની પેરિસ ખાતે ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા.
– 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશમહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ.
– વર્સેલ્સની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ હતી.
1. પ્રાદેશિક વ્યવસ્થા.
2. લશ્કરોમાં ઘટાડો અને નિ:શસ્ત્રીકરણ.
3. યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ.
4. અન્ય જોગવાઈઓ
.
(3) સામાજિક પરિવર્તન :
– વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી.
– ઘરની ચાર દીવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતા પૂર્વક જવાબદારી સંભાળી.
– તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા.

(4) દૂરગામી પરિણામ :
– યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી.
– તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાઈ નહીં સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું.
– અમેરિકા રાષ્ટ્ર સંઘમાં જોડાયું નહીં તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યુ તેમ કહી શકાય.



Q-2. ટૂંક નોંધ લખો :


1. રશિયન ક્રાંતિ

👉જવાબ :-

– રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી.
– ઈ.સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે.
– રશિયામાં વંશપરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા.
– જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર, જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઈબિરિયાની ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ.
– ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકરે લોકો ઝારમાં નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા.
– આ તમામ લોકો ની:શસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો’ જેવા સૂત્રો લખેલા હતા.
– આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો.
– તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો તરફ લોહીથી લાલ થઇ ગયો આ દિવસને ઇતિહાસમાં ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.
– રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી સમાંતરે ચારેય ડુમા બોલાવવામાં આવી પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરી તે પહેલા બરખાસ્ત કરવામાં આવી.
– 8મી માર્ચ 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું પરંતુ ગોળીબાર કરવાની ના પાડી.
– ઝારશાહીનું પતન થતાં એક માત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા.
– પરંતુ લેનિન કાર્લમાર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો.
– પરિણામે તેણે બોલ્શેત્યકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 ના આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બોલ્શેત્યેક ક્રાંતિ તરીકે ઓળખાઈ.
– આમ, ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું.



2. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ

👉જવાબ :-

– 1 ઓગસ્ટ, 1914ના રોજ પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. આ યુદ્ધમાં મિત્રરાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું.
– ઇંગ્લેન્ડ, રસિયા, ફ્રાંસ, જાપાન વગેરે મિત્રરાષ્ટ્રનું જૂથ.
– જર્મની, તુર્કી, હંગેરી વગેરે ધરીરાષ્ટ્રોનું જૂથ.
– યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવવા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુવારી થઇ.
– આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી મિત્રરાષ્ટ્ર હતું. તેણે અમેરિકાના લ્યુસિયાનિયા સ્ટીમર પર હુમલો કરી તેને ડુબાડી દીધી. આથી 1917 માં અમેરિકા રાષ્ટ્રોના પક્ષે જોડાયું.
– અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી શક્યુ નહિ આથી સમગ્ર યુદ્ધનું પાસુ પલટાઈ ગયો.


3. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો

👉જવાબ :-
– 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. જેના ઉદ્દેશો નીચે મુજબ છે
– આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો.
– યુદ્ધનીતિનો ત્યાગ કરવો.
– જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો ‘બળવાખોર’ રાષ્ટ્ર જાહેર કરવું.
– આંતરરાષ્ટ્રીય સ્તરે એક બીજા દેશોએ સંબંધો વિકસાવવા.
– આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી.
– દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી.



Q-3. કારણો આપો :


1. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.

– વિશ્વ યુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વશાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી.
– અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને “પેરિસ શાંતિ” પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી.


2. 22મી જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.

– ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આખરે લોકો ઝાર ના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા.
– 22મી જાન્યુઆરી 1905 ને રવિવાર આ તમામ લોકો ની:શસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો’ જેવા સૂત્રો લખેલા હતા આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઇ ગયો.
– આ દિવસને ઇતિહાસમાં ‘લોહિયાળ રવિવાર’ તરીકે ઓળખવામાં આવે છે.



Q-4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:


1. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા?

(A) વર્સેલ્સ

(B) ફ્રેન્કફર્ટ

(C) ફ્રાન્સ અને બ્રિટનની સંધિ

(D) જર્મની અને હંગેરીની સંધિ


Correct Answer: ફ્રેન્કફર્ટ


2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?

(A) વર્સેલ્સની સંધિ

(B) ગુપ્ત સંધિ

(C) લટેર્નની સંધિ

(D) ફ્રેન્કફર્ટની સંધિ


Correct Answer: વર્સેલ્સની સંધિ


3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?

(A) ડેન્ઝિંગ પ્રદેશો

(B) આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો

(C) પશ્ચિમ રશિયાના પ્રદેશો

(D) ઇંગ્લૅન્ડના પ્રદેશો


Correct Answer: આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનની PDF Download કરવા માટે નીચે ક્લિક કરો 



Download PDF

HOW TO DOWNLOAD PDF



👉આ સ્વાધ્યાયના  સોલ્યુશનનો યુટ્યુબ માં વિડિયો જોવા માટે નીચે ક્લિક કરો 




------Thanks For Visit------

No comments:

Post a Comment