મુદ્દા
- પ્રસ્તાવના
- લૂ
- અસર
- જનમાં અને વનમાં
- શહેરો
- લોકો
- ઉપસંહાર
કવિ જયન્ત પાઠકે આ પંક્તિઓમાં ધોમધખતા ઉનાળાનું વર્ણન કર્યું છે. કવિએ પ્રકૃતિના ઉત્કટ રૌદ્રરૂપને ઝાળરૂપી જટાવાળા જોગી સાથે સરખાવ્યું છે. આ જોગી એટલે ધગધગતા બપોરે, આગ ઓકતો, અગનગોળો, સૂર્ય. કાકાસાહેબ કાલેલકરે આ સૂર્યને લાંબી જીભથી લાળ વરસાવતા હાંફતા કૂતરા સાથે સરખાવ્યો છે.
લૂ વરસી રહી છે. બહાર દોડી જતા છોકરાને મા લડે છે, ‘ બહાર જઈશ નહિ, લૂ લાગશે. ' વાતાવરણ ધખધખતી ભઠ્ઠી જેવું લાગે છે. ગામડું હોય કે શહેર, વન કે વેરાન, બસ જ્યાં જુઓ ત્યાં સૂનકાર વ્યાપી ગયો છે. રસ્તા નિર્જન છે. માનવી તો ઠીક એકાદ પંખી કે પશુ પણ ક્યાંય નજરે ચડતું નથી. નીરવ શાંતિમાં સૌ જાણે ડૂબી ગયાં છે. શહેરની સડકો ...! નિરંજન ભગતે લખ્યું છેઃ
અમુક ડિગ્રીથી ઊંચું તાપમાન થતાં સૌના જીવ પડીકે બંધાઈ જાય છે. લૂથી કેટલાંય પશુપંખી તરફડીને મૃત્યુ પામે છે. ધરતી નિઃસહાય થઈ, હાંફતી હાંફતી જાણે બેભાન થઈ ધખધખે છે.
અન્ય ગુજરાતી નિબંધો
બજારમાં પણ કરફ્યૂ જેવું વાતાવરણ છે. સૌ ઘરમાં પુરાઈ ગયાં છે. પંખા, ઍરકૂલર કે ઍરકંડિશનર થોડાંક રાહત આપે છે. ટીવી, ચેસ, કૅરમ કે કાર્ડ્સ મનોરંજન કે આનંદ આપે છે. ગરમીમાં ઠંડાં પીણાં, આઇસ્ક્રીમ કે શરબત શરીર ને મનને ટાઢક આપે છે. કાળઝાળ ગરમીમાં કેરી, સક્કરટેટી કે તડબૂચ રાહત આપે છે. પૈસેટકે સુખી લોકો આબુ, માથેરાન કે મહાબળેશ્વર જેવાં હવાખાવાનાં સ્થળોએ જાય છે.
કાકાસાહેબ જેવા પ્રકૃતિપ્રેમીને ધોમધખતા તડકામાં સૌંદર્ય કળાય છે ને કાવ્ય સ્ફૂરે છે, પણ સામાન્ય જનને તો ઉનાળાનો ધખતો બપાર, શુષ્ક, વ્યાકુળ ને ઉગ્ર લાગે છે. જોકે ધરતીનાં છોરું તો હૃદયનાં ઊંડાણથી આકરો તાપ પડે એમ ઇચ્છે છે કારણ કે,
ગરમી ભલે ત્રાસ આપનારી હોય, પણ માનવજીવન માટે એની મહત્તા ઓછી નથી.
----------------------------

No comments:
Post a Comment